સૂરજ સાથે જાજું અમને ફાવે ક્યાંથી !
અંધારા જેવું કંઈ પણ એ લાવે ક્યાંથી !
દુઈ ની વાતો કરવી સાધુને શોભા દે ?
જીવન-મૃત્યુ ધાર્મિકતા ડોલાવે ક્યાંથી !
ઠારી દીધો દીવો તે મારા ફળિયાનો ,
સમજી ગ્યો સૂરજને તું શરમાવે ક્યાંથી !
નાની મોટી આઘી પાછી રેખા સઘળી ,
સમજાવો એ ભાગ્યને બદલાવે ક્યાંથી !
ઝાંખો લાગે ચાંદો મારી પ્રિયા સામે ,
રાતો ની રાતો એય તે તડપાવે ક્યાંથી !
આકાશે ઉડતાં પક્ષીઓ સંધ્યા ટાણે ,
નકશો પાછા ફરવાનો દોરાવે ક્યાંથી !
આવી મળવા સાંજે ને નથણી ખોવાણી ,
એ કેય કોને-કોને, ને ગોતાવે ક્યાંથી !
- ઉદયન ગોહિલ
No comments:
Post a Comment