પળ થી પરમેશ્વર સુધી કેડી કરાવો ,
છે ફરક શું બુંદ-સાગરમાં બતાવો .
છે લખેલું જો લલાટે એનું સઘળું ,
ભાર પોતે લઈ કાં પોતાને સતાવો !
આવશે એ, એવું જ્યારે મન કહે છે ,
બસ, તો એનાં નામ પર જીવન ચડાવો .
ચૂપચાપ દસ્તક દે છે એ જિંદગીમાં ,
શ્વાસના તોરણથી આ શેરી સજાવો .
ને સફર કરવી ઘટે અંદર તરફની ,
મંદિરે કઈ મુક્તિની આશા જગાવો !
- ઉદયન ગોહિલ
No comments:
Post a Comment