Thursday 19 December 2019

પળ થી પરમેશ્વર સુધી કેડી કરાવો

પળ થી પરમેશ્વર સુધી કેડી કરાવો ,
છે ફરક શું બુંદ-સાગરમાં બતાવો .

છે લખેલું જો લલાટે એનું સઘળું ,
ભાર પોતે લઈ કાં પોતાને સતાવો !

આવશે એ, એવું જ્યારે મન કહે છે ,
બસ, તો એનાં નામ પર જીવન ચડાવો .

ચૂપચાપ દસ્તક દે છે એ જિંદગીમાં ,
શ્વાસના તોરણથી આ શેરી સજાવો .

ને સફર કરવી ઘટે અંદર તરફની ,
મંદિરે કઈ મુક્તિની આશા જગાવો !

- ઉદયન ગોહિલ

No comments:

Post a Comment