જરા પૂછો તો સમજાશે શું હાલત થાય છે ,
જે બોરાં શબરી દ્વારા ચાખીને ફેંકાય છે .
રહે છે ઊર્મિલા વનવાસ માફક મ્હેલમાં ,
તો લક્ષ્મણ પણ કદી રાતે સુતા દેખાય છે !
પ્રસંગો છે ઘણાં પણ પ્રેમનાં ઓછાં મળે ,
આ રામાયણમાં તો ખાલી યુધ્ધ ચર્ચાય છે .
તમે દોષ દો રાવણને ફકત એ ખોટું છે ,
નસીબે જે લખ્યું ત્યાં જિંદગી ઢોળાય છે .
અને વાલ્મીકિ પણ મુંઝાય છે જે વાતમાં ,
કે સીતાની પરિક્ષા રામથી લેવાય છે !
- ઉદયન ગોહિલ
No comments:
Post a Comment