ઉતરે ગઝલ તો હું શબ્દો માંડીશ ,
ફૂલો ને અમથાં ઓછું કઈ વાઢીશ !
હું તો ફસાયો છું લકીરોમાં ,
મારગ જુદો મર્યા પછી કાઢીશ .
ઈશ્વર ને મારી વચમાં કંઈ છે ક્યાં ,
શૂન્યાવકાશ આ કોક દી લાંઘીશ .
મારી કને મારા સિવાય શું છે !
ફાટે પનિયું તો કેમ નું સાંધીશ !
છે અઘરું ભૂલવું પણ શક્ય કરવા ,
ખુદ ને, હું તારા સમ માં પણ બાંધીશ .
- ઉદયન ગોહિલ
No comments:
Post a Comment